રાત્રી કરફ્યુ સમયમાં રાત્રે 10 ના બદલે 11 વાગ્યા સુધી કરી 1 કલાકની છૂટ આપવામાં આવી.

સેવન સી ન્યૂઝ


મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.       
             

રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી  1 કલાક ઘટાડવામાં આવી છે.

8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ  રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો  છે તે  31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.
 
આ  8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ   રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાજયમાં હાલ જાહેર સમારંભો  ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓ ની  મર્યાદા છે તે  તારીખ 31  જૂલાઈથી  વધારીને 400  વ્યક્તિઓની કરવામાં આવી છે.

આવા  કાર્યક્રમોનું   જો બંધ હોલમાં  આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400  વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં  વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો  નિર્ણય  આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.


તંત્રી: મુસ્તાક બેગ : 9998053770

Comments